Pandit Din Dayal Upadhyay Awas Yojana 2026 | ગુજરાત મકાન સહાય યોજન
ગુજરાત સરકાર દ્વારા ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોને રહેણાંક સુવિધા આપવા માટે Pandit Din Dayal Upadhyay Awas Yojana અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ પાત્ર લાભાર્થીઓને પોતાનું પાકું મકાન બનાવવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે.
યોજનાનો ઉદ્દેશ
આ યોજનાનો મુખ્ય હેતુ એવા પરિવારોને સહાય આપવાનો છે જેઓ પાસે પોતાનું પાકું મકાન નથી. સરકાર દ્વારા આર્થિક સહાય આપીને તેમને સુરક્ષિત અને સ્થિર રહેણાંક ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
યોજનાની મુખ્ય માહિતી (Overview)
| યોજનાનું નામ | Pandit Din Dayal Upadhyay Awas Yojana |
|---|---|
| રાજ્ય | ગુજરાત |
| લાભ | મકાન બનાવવા માટે નાણાકીય સહાય |
| લાભાર્થી વર્ગ | સામાજિક અને શૈક્ષણિક રીતે ૫છાતવર્ગ, આર્થિક ૫છાતવર્ગ, વિચરતી વિમુકત જાતિ |
| સહાયનું ધોરણ | રૂ.૧,૭૦,૦૦૦/- |
| અરજી પ્રક્રિયા | ઓનલાઇન |
મળતી સહાય (Benefit Details)
- લાભાર્થીને મકાન બનાવવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે
- સહાયની રકમ તબક્કાવાર લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય છે
- ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારો માટે યોજના લાગુ પડે છે
- પાકું અને સુરક્ષિત મકાન બનાવવા પ્રોત્સાહન મળે છે
- લાભાર્થીને રૂ. ૧,૭૦,૦૦૦/- સુધીની સહાય પૂરી પાડવામાં આવે છે.
પાત્રતા (Eligibility Criteria)
- અરજદાર ગુજરાતનો સ્થાયી રહેવાસી હોવો જોઈએ
- પરિવાર આર્થિક રીતે નબળા વર્ગનો હોવો જોઈએ
- આવક મર્યાદા ૬,૦૦,૦૦૦/- રાખવા ઠરાવેલ છે.
- પહેલેથી પાકું મકાન ન હોવું જોઈએ
- સરકારની અન્ય રહેણાંક યોજનાનો લાભ લીધો ન હોય
- સરકારી નિયમો મુજબ અન્ય શરતો લાગુ પડશે
જરૂરી દસ્તાવેજો (Required Documents)
- અરજદારની જાતિ/પેટા જાતિનો દાખલો (આર્થિક પછાતવર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી.), અરજદારનું લીવીંગ સર્ટીફીકેટ (શિક્ષિત હોય તો)
- આવકનો દાખલો
- અરજદારનો રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ/ વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈપણ એક)
- કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન/તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની, એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ.
- જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
- અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામપંચાયતના તલાટી ક્મ મંત્રી / સિટી તલાટી ક્મ મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર
- મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી
- BPLનો દાખલો
- પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
- જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રિશ્રિ)ની સહીવાળી.
- પાસબુક / કેન્સલ ચેક
- અરજદારના ફોટો
અરજી કરવાની પ્રક્રિયા
- અધિકૃત વેબસાઈટ પર જાઓ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ ગઢડા(સ્વા) ની મુલાકાત લો..
- ઓનલાઇન અરજી ફોર્મ ભરો
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- ફોર્મ સબમિટ કરો
- ભવિષ્ય માટે પ્રિન્ટ કાઢી રાખો
મહત્વપૂર્ણ સૂચનાઓ
- અરજી કરતા પહેલા તમામ વિગતો ચકાસવી
- ખોટી માહિતી આપવાથી અરજી રદ થઈ શકે છે
- માત્ર પાત્ર ઉમેદવારોને જ લાભ મળશે
મહત્વપૂર્ણ લિંક્સ
નોંધ: વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટ તપાસો.
| Connect with us | |
| WhatsApp Group | Click Here |
| WhatsApp Channel | Click Here |
| Facebook Page | Click Here |
| Facebook Group | Click Here |

