આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ 2026-27 🔥 ધોરણ 9 થી 12 માટે ઓનલાઈન અરજી શરૂ | છેલ્લી તારીખ 25 મે
આદર્શ નિવાસી શાળા પ્રવેશ જાહેરાત ૨૦૨૬-૨૭ નિયામક, વિકસતી જાતિ કલ્યાણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યની કુલ ૩૫ આદર્શ નિવાસી શાળાઓ (૦૮ કન્યા અને ૨૭ કુમાર) માં શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મહત્વની વિગતો પ્રવેશ માટેના ધોરણ: ધોરણ ૯ થી ૧૨ (ધો. ૧૧-૧૨ માત્ર આર્ટસ માટે) અરજીનો પ્રકાર: માત્ર ઓનલાઇન (કોઈપણ ઓફલાઈન અરજી સ્વીકારવામાં આવશે નહીં) ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ: ૨૫/૦૫/૨૦૨૬ (રાત્રે ૨૩:૫૯ કલાક સુધી) પ્રથમ મેરિટ યાદી જાહેર થવાની સંભવિત તારીખ: ૨૮/૦૫/૨૦૨૬ પાત્રતા અને નિયમો વિગત માપદંડ જરૂરી ટકાવારી સામાન્ય સંજોગોમાં લઘુત્તમ ૫૦%. કન્યાઓ અને અનામત વર્ગના બાળકો માટે ૪૫% આવક મર્યાદા પિતા/વાલીની વાર્ષિક આવક રૂ. ૬.૦૦ લાખથી વધુ ન હોવી જોઈએ અરજીની વેબસાઈટ esamajkalyan.gujarat.gov.in ...
