Join Whatsapp Groups
📢 IMPORTANT UPDATE
1. GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech, Mukhya Sevika સહિત વિવિધ : PDF Download
2. માનવ કલ્યાણ યોજના 2026 | ટૂલ કીટ સહાય | પાત્રતા, દસ્તાવેજ અને અરજી માહિતી : અહીં ક્લિક કરો

🔔 All Latest Important Updates

Loading...

Navodaya Vidyalaya Class 6 Admission 2027-28 | JNVST Online Apply

Navodaya Vidyalaya Class 6 Admission 2027-28 | JNVST Online Apply

શિક્ષણ મંત્રાલય હેઠળની સ્વાયત્ત સંસ્થા નવોદય વિદ્યાલય સમિતિ (NVS) દ્વારા જવાહર નવોદય વિદ્યાલય પસંદગી કસોટી (JNVST) 2027 ની જાહેરાત કરવામાં આવી છે. શૈક્ષણિક સત્ર 2027-28 માટે ધોરણ 6 માં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ 31 જુલાઈ 2026 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. દેશભરમાં કુલ 665 નવોદય વિદ્યાલયો કાર્યરત છે, અને દરેક જિલ્લામાં એક વિદ્યાલય મુજબ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.

Overview

સંસ્થાનું નામનવોદય વિદ્યાલય સમિતિ (NVS)
પરીક્ષાનું નામJNVST 2027 - ધોરણ 6 પ્રવેશ
કુલ વિદ્યાલયો665 (27 રાજ્યો + 08 કેન્દ્રશાસિત પ્રદેશો)
અરજી પ્રક્રિયાઓનલાઈન
છેલ્લી તારીખ31-07-2026
પરીક્ષા તારીખ28-11-2026
પરિણામ તારીખમાર્ચ 2027ના અંતે (અંદાજિત)
સત્તાવાર વેબસાઈટnavodaya.gov.in

પાત્રતા (Eligibility)

  • ઉમેદવાર જે તે જિલ્લાનો કાયમી (bonafide) રહેવાસી હોવો જોઈએ અને શૈક્ષણિક વર્ષ 2026-27માં ધોરણ 5માં માન્ય શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ.
  • જન્મ તારીખ: 01-05-2015 થી 31-07-2017 વચ્ચે (બંને તારીખો સહિત).
  • ઉમેદવારે ધોરણ 3, 4 અને 5 એક જ જિલ્લામાં (અથવા નિયમ 4.1 મુજબ પડોશી જિલ્લામાં) સંપૂર્ણ શૈક્ષણિક સત્ર માટે અભ્યાસ કરેલ હોવો જોઈએ.
  • ઉમેદવારે ધોરણ 5માં પ્રથમ વખત જ અભ્યાસ કરતો હોવો જોઈએ (પુનરાવર્તિત/રીપીટર ઉમેદવાર પાત્ર નથી).
  • NIOS ('B' પ્રમાણપત્ર ધરાવતા) ઉમેદવારો પણ પોતાના જિલ્લામાં પાત્રતા ધરાવે છે.

📲 Apply કેવી રીતે કરવું?

  • રસ ધરાવતા અને લાયક ઉમેદવારો navodaya.gov.in પર ઓનલાઈન અરજી કરી શકે છે અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ  (ગઢડા) ની મુલાકાત લઈ શકે છે.
  • ફોર્મ ચકાસીને Submit કરો - એકવાર final submit થયા બાદ સુધારો શક્ય નથી (મર્યાદિત Correction Window સિવાય).
  • ફોર્મ ભરવા માટે નજીકના JNV ખાતે હેલ્પડેસ્કની સુવિધા પણ ઉપલબ્ધ છે.

પસંદગી પ્રક્રિયા (Selection Process)

  • ઓનલાઈન અરજી બાદ ઉમેદવારોને પસંદગી કસોટી (Selection Test) માટે એડમિટ કાર્ડ આપવામાં આવશે.
  • પરીક્ષા 28-11-2026 ના રોજ એક જ તબક્કામાં લેવાશે.
  • પરિણામ માર્ચ 2027ના અંતે જાહેર થવાની શક્યતા છે.
  • પસંદગી પામેલ ઉમેદવારોએ મૂળ પ્રમાણપત્રો સાથે સંબંધિત JNVમાં દસ્તાવેજ ચકાસણી કરાવવાની રહેશે.
  • 75% બેઠકો ગ્રામ્ય વિસ્તાર માટે, SC 15%, ST 7.5%, OBC 27% અનામત તથા ઓછામાં ઓછી 1/3 બેઠકો કન્યાઓ માટે અનામત રહેશે.

પરીક્ષા પદ્ધતિ (Exam Pattern)

વિભાગપ્રશ્નોગુણસમય
માનસિક ક્ષમતા કસોટી (MAT) + પર્યાવરણ અભ્યાસ (EVS)20+2025+2560 મિનિટ
ગણિત (Arithmetic)202530 મિનિટ
ભાષા (Language)202530 મિનિટ
કુલ801002 કલાક

પરીક્ષા સવારે 11:30 થી બપોરે 01:30 દરમિયાન લેવાશે. દરેક સાચા જવાબ માટે 1.25 ગુણ મળશે અને કોઈ નેગેટિવ માર્કિંગ નથી. દિવ્યાંગ ઉમેદવારોને 40 મિનિટનો વધારાનો સમય આપવામાં આવશે.

📌 સૂચના: ઉમેદવારોએ Apply કરતા પહેલા સંપૂર્ણ અધિકૃત માહિતી, જિલ્લા મુજબની બ્લોક વિગતો (Annexure-II) અને નોટિફિકેશન માટે navodaya.gov.in વેબસાઈટની મુલાકાત અવશ્ય લેવી. તાજા અપડેટ માટે www.AksharGadhada.in નિયમિત વિઝિટ કરો.
Connect with us
WhatsApp Group Click Here
WhatsApp Channel Click Here
Facebook Page Click Here
Facebook Group Click Here

Popular posts from this blog

માનવ કલ્યાણ યોજના 2026 | ટૂલ કીટ સહાય | પાત્રતા, દસ્તાવેજ અને અરજી માહિતી | AksharGadhada

Indian Air Force Agniveervayu Intake 02/2027 | Male & Female | 10+2 Pass

IBPS PO Recruitment 2026 | 6715 જગ્યા | Graduation Pass