Pandit Din Dayal Upadhyay Awas Yojana 2022-23 | Gujarat Makan Sahay Yojana
Pandit Din Dayal Upadhyay Awas Yojana 2022-23 : ઓનલાઈન અરજી કરો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આવાસની જરૂરિયાતવાળા અને ઘર બનાવવા માંગતા લોકો માટે પંડિત દિન દયાલ ઉપાધ્યાય આવાસ યોજનાની મોટી જાહેરાત કરવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા હોય તે તા.16/06/2022 થી તા.30/06/2022 સુધી અરજી કરી શકશે.
More details:
પાત્રતાના માપદંડ :
- આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- તથા શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- રાખવા ઠરાવેલ છે.
સહાયનું ધોરણ :
- સામાજિક અને શૈક્ષણિક રીતે ૫છાતવર્ગ, આર્થિક ૫છાતવર્ગ, વિચરતી વિમુકત જાતિના ઘર વહોણા ઈસમોને શહેરોમાં અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા ઈસમોને મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં રૂ.૧,૨૦,૦૦૦/- આપવામાં આવે છે.
- મકાન બાંધકામ પૂર્ણ કરવાની અવધિ ર વર્ષની છે.
રજુ કરવાના ડોક્યુમેંટ :
- અરજદારની જાતિ/પેટા જાતિનો દાખલો (આર્થિક પછાતવર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી.), અરજદારનું લીવીંગ સર્ટીફીકેટ (શિક્ષિત હોય તો)
- આવકનો દાખલો
- અરજદારનો રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ/ વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈપણ એક)
- કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન/તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની, એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ.
- જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
- અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામપંચાયતના તલાટી ક્મ મંત્રી / સિટી તલાટી ક્મ મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર
- મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી
- BPLનો દાખલો
- પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
- જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રિશ્રિ)ની સહીવાળી.
- પાસબુક / કેન્સલ ચેક
- અરજદારના ફોટો
ફોર્મ ભરવા માટે :
- અક્ષર કોમ્પ્યુટર એન્ડ ઝેરોક્ષ ગઢડા(સ્વા) અથવા સત્તાવાર વેબસાઈટે ની મુલાકાત લો..
અરજી કરવાનો સમય ગાળો :
- આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા હોય તે તા.16/06/2022 થી તા.30/06/2022 સુધી અરજી કરી શકશે.