Anganwadi Bharti Rejection Form : આંગણવાડી ભરતી ફોર્મ રિજેક્ટ થયું હોય તો શું કરશો?
Anganwadi Bharti Rejection Form : જો તમારું આંગણવાડી ભરતીનું ફોર્મ રિજેક્ટ થયું હોય, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. રિજેક્ટ થયેલા ફોર્મ માટે અપીલ કરવાની પ્રક્રિયા ઉપલબ્ધ છે. આ પોસ્ટમાં, આપણે આ પ્રક્રિયાને સરળતાથી સમજીશું.
આંગણવાડી ભરતી મેરીટ લિસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો
આમારા whatsapp ગ્રુપમાં જોડાવવા માટે અહીં ક્લિક કરો
ફોર્મ રિજેક્ટ થવાનું કારણ અને અપીલ પ્રક્રિયા
જ્યારે આંગણવાડી ભરતી પ્રક્રિયામાં તમારું ફોર્મ રિજેક્ટ થાય, ત્યારે સૌથી પહેલાં તેનું કારણ જાણવું જરૂરી છે.
રિજેક્શનનું કારણ તપાસો
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના e-HRMS પોર્ટલ પર જાઓ. અહીં, ભરતી વિભાગમાં રિજેક્ટ થયેલા ફોર્મની યાદી જુઓ. તમારા ફોર્મ નંબર સામે રિજેક્ટ થવાનું ચોક્કસ કારણ દર્શાવવામાં આવ્યું હશે. તે કારણને ધ્યાનપૂર્વક વાંચો.
પુરાવા એકઠા કરો
કારણ જાણ્યા પછી, તેના અનુસંધાનમાં જરૂરી દસ્તાવેજો અને પુરાવાઓ એકઠા કરો. જો ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં ભૂલ થઈ હોય, તો સાચા અને સ્પષ્ટ ડોક્યુમેન્ટ તૈયાર રાખો. જો માહિતી ખોટી ભરાઈ હોય, તો સાચી માહિતી સાથેના પુરાવા તૈયાર કરો.
ઓનલાઈન અપીલ અરજી
જો e-HRMS પોર્ટલ પર ઓનલાઈન અપીલનો વિકલ્પ ઉપલબ્ધ હોય તો તમે આ રીતે અરજી કરી શકો છો:
- અપીલ અરજી કરવા માટે: e-hrms.gujarat.gov.in પર Grievance Registration અથવા Grievance મેનૂમાં જાઓ.
- માગ્યા મુજબની વિગતો ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- ઓનલાઈન અરજી સબમિટ કર્યા બાદ, તમને એક અરજી નંબર મળશે. આ નંબર સાચવી રાખો જેથી તમે તમારી અરજીનું સ્ટેટસ જોઈ શકો.
- અપીલ અરજી કરવા માટે : અહીં ક્લિક કરો.
અરજીનું સ્ટેટસ જોવા માટે:
તમે કરેલી અપીલ અરજીનું સ્ટેટસ જોવા માટે: અહીં ક્લિક કરો.
Connect with us | |
WhatsApp Group | Click Here |
WhatsApp Channel | Click Here |
Facebook Page | Click Here |
Facebook Group | Click Here |